તોક-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વિસ્તારના લોકોને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અને હરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપની લી.ના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
31-05-2021
ના રોજ તોક-તે વાવાઝોડામાં થયેલા નુકસાનમાં જરૂરિયાત
મંદ લોકોને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર (INGJ 46ની
ટીમ) અને હરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અવિરત એગ્રો પ્રોડ્યુસર
કંપની લી. ટીમના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ઘઉં, ચોખા,ખાંડ,
ચા, તેલ,માગદાળ, સાબુ વિગેરે ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો. વાવાઝોડાના
લીધે લોકો નુકશાની સાથે-સાથે સુવિધાથી વંચિત છે જેથી વધુ હાલાકીનો સામનો કરવો પડી
રહ્યો છે. રોજીંદા જીવનમાં વપરાશની ઘર વખરી તેમજ વીજળી ના હોના કારણે લોકો ટેલીફોનીક
સંપર્ક વિહોણા બની ચુક્યા હતા. સંસ્થાના કાર્યકર પોતાના ફિલ્ડના વિસ્તારમાં રૂબરૂ
વિઝીટ કરી લોકોને મદદ પુરી પાડવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. સંસ્થા દ્વારા
હરહંમેશ સમાજની મહિલાની વાત હોય કે ખેડૂતોની અથવા બાળકોના અધિકારોની વાત હોય કે
અભ્યાસની તેમજ લોકોની આજીવિકાને ધ્યાનમાં લઇ લોકોની સાથે રહી કામ કરી રહ્યા છે.
Post a Comment